અમદાવાદ (સંજીવ રાજપૂત) : જામનગરમાં 2019માં જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા રાજાણી પ્રોફેસર પાસેથી 1 કરોડની ખંડણી વસુલ કરવા તેના પર ફાયરિંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સૂચના આપી હતી જેથી ઇકબાલ દ્વારા બલવીરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી 1 પિસ્તોલ અને 5 રાઉન્ડ મંગાવેલ. બલ્લુ જયેશ પટેલ ગેંગનો મુખ્ય સપ્લાયર હોવાથી તેના એમપીના ધાર ખાતે હોવાની રાજ્ય ATS ને જાણકારી મળી હતી. ATS અને જામનગર SOG ની સયુંકત ટિમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમપીના ધાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જેને ATS ખાતે લાવવામાં આવતા પૂછપરછમાં તેના દ્વારા 100 થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. બલ્લુના વિરુદ્ધ અમદાવાદ, રાજકોટ તેમજ મોરબી જિલ્લામાં પણ ગુના નોંધાયેલ છે. ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ…અમદાવાદ ના થલતેજ અંડરપાસ મા બે કાર વચ્ચે અકસ્માત.
અમદાવાદ ના થલતેજ અંડરપાસ મા બે કાર વચ્ચે અકસ્માત અંડરપાસ ની અંદર પહેલા થી જ ઉભી રહેલી ફોઁચ્યુનર કાર ની…
*કોરોના સામે “કરો-ના” અભિયાન*
*કોરોના થી બચવા શું કરશો ? ત્યાગ અને સ્થિરતાથી સુરક્ષિત બનીએ* *ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય* કોરોના વાયરસની…
કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રાહક ભેગા કરતાં કાર્યવાહી .
ગરુડેશ્વર મેઈન બજાર પોતાની કાપડ તથા વાસણની દુકાન ખુલ્લી રાખી ગ્રહ ભેગા કરતાં કાર્યવાહી . રાજપીપળા,તા.29 ગરુડેશ્વર મેઈન બજારમાં પોતાની…
