અમદાવાદ (સંજીવ રાજપૂત) : જામનગરમાં 2019માં જયેશ રણપરિયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા રાજાણી પ્રોફેસર પાસેથી 1 કરોડની ખંડણી વસુલ કરવા તેના પર ફાયરિંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયકને સૂચના આપી હતી જેથી ઇકબાલ દ્વારા બલવીરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી 1 પિસ્તોલ અને 5 રાઉન્ડ મંગાવેલ. બલ્લુ જયેશ પટેલ ગેંગનો મુખ્ય સપ્લાયર હોવાથી તેના એમપીના ધાર ખાતે હોવાની રાજ્ય ATS ને જાણકારી મળી હતી. ATS અને જામનગર SOG ની સયુંકત ટિમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમપીના ધાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જેને ATS ખાતે લાવવામાં આવતા પૂછપરછમાં તેના દ્વારા 100 થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. બલ્લુના વિરુદ્ધ અમદાવાદ, રાજકોટ તેમજ મોરબી જિલ્લામાં પણ ગુના નોંધાયેલ છે. ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Related Posts
ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું
#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…
નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો
*નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં…
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે – મિત્તલ ખેતાણી.રાજકોટ,
આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે ભલે ને…
