ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની એચ.એ.ગાંધીઅન સોસાયટી ધ્વારા “મહાત્મા ગાંધીનાં વિચારો તથા તત્વજ્ઞાન” વિષય ઉપર નેશનલ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ધા કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. વિલાસરાવ દેશમુખ તથા પુનાના જાણીતા કેળવણીકાર ડૉ. શીરીષ સિંદડેએ તજજ્ઞો તરીકે વક્તવ્ય આપ્યુ હતુ. જેમાં તેઓએ ગાંધીજીના સિધ્ધાંતો સત્ય તથા અહિંસા ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. શિક્ષણ તથા આરોગ્ય લોકોને સરળતાથી મળે તેવું ગાંધીજી માનતા હતા. સમાજનું ઘડતર શિક્ષણથીજ થઇ શકે. વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો સામ્રાજ્યવાદી સત્તાઓએ તેમની સામ્રાજ્યવાદી યોજનાઓનો ત્યાગ કરવો પડે તથા તેમના શસ્ત્રસરંજામોનો પણ ત્યાગ કરવો પડે જે તેમના માટે ઘણુ અઘરૂ છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે ગાંધીજીના મતે લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયાકિતા વિશે વાત કરી હતી. ભાવી સમાજરચનામાં લોકોની સુખાકારી એ સૌથી વધુ અગત્યની બાબત છે. સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે તથા અહિંસા આત્માની શક્તિ છે. સાદગીભર્યું જીવન વ્યક્તિને તંદુરસ્ત તથા સલામત રાખે છે. આ નેશનલ વેબીનારમાં અધ્યાપકો, આચાર્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
Related Posts
કૃષિબિલની સમજ આપવા ભાજપ ગામડાઓમાં ખાટલા બેઠકો કરશે*
કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ…
ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.
મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ.…
*📍ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવેલ વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો*
*📍ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવેલ વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો* ટ્રક નંબર GJ 06 AZ 0326…
