ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજની એચ.એ.ગાંધીઅન સોસાયટી ધ્વારા “મહાત્મા ગાંધીનાં વિચારો તથા તત્વજ્ઞાન” વિષય ઉપર નેશનલ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ધા કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. વિલાસરાવ દેશમુખ તથા પુનાના જાણીતા કેળવણીકાર ડૉ. શીરીષ સિંદડેએ તજજ્ઞો તરીકે વક્તવ્ય આપ્યુ હતુ. જેમાં તેઓએ ગાંધીજીના સિધ્ધાંતો સત્ય તથા અહિંસા ઉપર વિચારો વ્યક્ત કર્યા હતા. શિક્ષણ તથા આરોગ્ય લોકોને સરળતાથી મળે તેવું ગાંધીજી માનતા હતા. સમાજનું ઘડતર શિક્ષણથીજ થઇ શકે. વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો સામ્રાજ્યવાદી સત્તાઓએ તેમની સામ્રાજ્યવાદી યોજનાઓનો ત્યાગ કરવો પડે તથા તેમના શસ્ત્રસરંજામોનો પણ ત્યાગ કરવો પડે જે તેમના માટે ઘણુ અઘરૂ છે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે ગાંધીજીના મતે લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયાકિતા વિશે વાત કરી હતી. ભાવી સમાજરચનામાં લોકોની સુખાકારી એ સૌથી વધુ અગત્યની બાબત છે. સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે તથા અહિંસા આત્માની શક્તિ છે. સાદગીભર્યું જીવન વ્યક્તિને તંદુરસ્ત તથા સલામત રાખે છે. આ નેશનલ વેબીનારમાં અધ્યાપકો, આચાર્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
Related Posts
જાહેર નોટીસ covid-19 સંદર્ભે બારેજા નગરપાલિકા દ્વારા વેપારીઓ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉન.
બારેજા નગરપાલિકામાં હાલમાં છેલ્લા ૩ દિવસમાં આશરે 50 કેરા કોરોના પ્રોઝીટીવ આવેલ છે. જે અન્વયે બારેજા નગરપાલિકા વિસ્તારમાં કોરૌનાનુ સંક્રમણ…
બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત માટે માઠા સમાચાર અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત માટે માઠા સમાચાર અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અમદાવાદમાં 31…
ચેમ્બરની ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત
ચેમ્બરની ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત પ્રગતિ પેનલે સિનિયર સભ્યો…
