ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા વિષય આધારીત નેશનલ વેબીનાર યોજવાની સીરીઝની શરૂઆત થઇ છે. આજ રોજ સૌ પ્રથમ નેશનલ વેબીનાર એકાઉન્ટન્સી વિષય ઉપર યોજાયો હતો. જેમાં પેંડેમીકને કારણે દેશના ઉદ્યોગો અને વહેપારના હિસાબો ઉપર કેવી અસરો પડી છે તથા જુદા જુદા વેરાઓ કેવી રીતે ભરવા તેની ચર્ચા થઇ હતી. બેંગલોરના ક્રીસ્ટુ કોલેજના પ્રા.ડો.વિજયકુમાર તથા સીએ.ડો. ભારતી રાનડેએ સીસોર્સ પર્સન તરીકે વક્તવ્ય આપ્યુ હતું. આ રીતે બીજા પાંચ વિષયના નેશનલ વેબીનાર યોજવામાં આવનાર છે જેમાં સ્ટેસ્ટીસટીકસ, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, ફાઈનાન્સ તથા માર્કેટીગ ઉપર યોજાશે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં કોમર્સનાં વિદ્યાર્થીઓને કોમર્સ તથા ઇન્ડસ્ટ્રીઝની સ્થિતી શું છે તથા આગામી સમયમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે તેનાથી માહિતગાર કરવાનો પ્રયાસ કોલેજ ધ્વારા થઇ રહ્યો છે. આજનાં આ નેશનલ વેબીનારમાં ૩૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
Related Posts
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ. પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન પ્રામાણિક કરદાતાઓ નું ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માન કરવામાં…
માંડવીની પોળ વાસણ બજાર સાંજે છ વાગ્યે બંધ થઈ જશે, કોરોના નો વ્યાપ વધતાં વેપારીઓનો સ્વયંભૂ નિર્ણય
માનવીનીપોળ મેટલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા તારીખ 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી વાસણ બજાર સાંજે છ વાગે બંધ કરી દેવાનો નિર્ણય…
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..*
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..* પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે…
