એચ. એ. કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ, રોટરી ક્લબ પ્રહલાદનગર અમદાવાદનાં પૂર્વ પ્રમુખ તથા અશોશીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સીપલ્સનાં જનરલ સેક્રેટરી સંજય વકીલે “ જગતમાં ધર્મો અનેક છે પરંતુ ધર્મ એક જ છે.” વિષય ઉપર રોટરી ક્લબ આયોજિત વેબીનારમાં વક્તવ્ય આપ્યું હતુ. પ્રિ. વકીલે કહ્યું હતું કે બધા જ ધર્મો વિશ્વનાં માનવ સમૂદાયને જોડવાનું કામ કરે છે. જયારે અધર્મ તોડવાનું કામ કરે છે. ધર્મ એ સમસ્ત વિશ્વની વ્યવસ્થાનો આધારસ્તંભ છે. ધર્મ એ મનુષ્યમાં રહેલો સ્થાયી ભાવ છે. એથી જ અન્ય જીવ સૃષ્ટી કરતા મનુષ્ય અલગ તરી આવે છે. ધર્મ એટલે ટીલા, ટપકાં, મંત્ર, પૂજા પાઠ કે દોરા-ધાગા નહી. ધર્મ એટલે સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠા, કર્મઠપણું તથા પુરુષાર્થ. આ સદ્દગુણો જગતના દરેક ધર્મે સંબોધ્યા છે. વિશ્વના બધા જ ધર્મોમાં સત્ય, અહિંસા, પ્રેમ, કરૂણા તથા અનુકંપાનું મહત્વ આંક્યું છે. મૂળભૂત રીતે જગતના બધાજ ધર્મોનો સાર તો એક જ છે કે માનવીય મૂલ્યો અપનાવી સદ્દગ્રહસ્થ બનીને જીવન જીવો. રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજનીતિ ના હોવી જોઈએ. આ સંદેશ દરેક ધર્મનો સાર છે. દરેકની કહેવાની રીત અલગ અલગ છે. દરેક ધર્મનાં તત્વજ્ઞાનના ગુઢાર્થ મનુષ્યની બુદ્ધિમત્તાને ચકાશે છે. વસ્તુત : એક જ ભાવ પ્રગટે છે. “સત્યંવદ – ધર્મમ ચર.“ વસુદેવ કુટુમ્બકમની ભાવના સાથે વિશ્વનો દરેક માનવી જીવન જીવતા શીખી જશે તો વિશ્વયુદ્ધની નોબત ક્યારેય નહી આવે
Related Posts
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 20/08/2020- 🌹* *ગુરૂવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 20/08/2020- 🌹* *ગુરૂવાર* ** *સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ* કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું મેરિટ…
વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત
બ્રેકીંગ ન્યૂઝ વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ સેનેટાઈઝેશનની…
ગૌતમ ગંભીરે શરૂ કર્યું કમ્યુનિટી કિચન, જરૂરિયાતમંદોને આપશે જમવાનું.
ગૌતમ ગંભીરે શરૂ કર્યું કમ્યુનિટી કિચન, ામાં જરૂરિયાતમંદોની આપશે જમવાનું ગૌતમ ગંભીરે દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક આશા જન રસોઈ નામથી…
