સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર સહિત રાજ્યમાં વકરેલા કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શ્રાવણ માસ દરમ્યાન લોકોની ભીડ મોટા પ્રમાણમાં ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડતી હોવાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓ એકત્ર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જુના સિધ્ધનાથ મહાદેવ મંદિરે દેવાધિ દેવ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસના સોમવારે લોકો પગપાળા દર્શન માટે જાય છે અને કાવડિયાઓ પણ મોટી સંખ્યામાં તાપી મૈયાનું જળ લઇને ચાલતા જતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાના પાપે ભક્તોને સિધ્ધનાથ મહાદેવના દર્શનનો લાભ મળશે નહીં.
Related Posts
ઉનાળો આકરો રહેશે : શેકાવા માટે તૈયાર રહેજો ભારતીય હવામાન ખાતાની આગાહી : માર્ચ – એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમી રહેશેઃ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર : ગુજરાત – મહારાષ્ટ્ર – રાજસ્થાન – કર્ણાટક – આંધ્ર – તામિલનાડુમાં ચામડી દાઝે તેવી ગરમી પડશે
તા. ૧૯ : ફેબ્રુઆરીના મધ્યથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે.…
જીવરાજ બ્રિજ બંધ કરતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા વસ્ત્રાપુર ફાટકથી વેજલપુર તરફ જવાન રોડ પર સર્જાયો ટ્રાફિક એક તરફનો રસ્તો થયો…
ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે એક દિવસીય તાલીમ આપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું
જીએનએ ગાંધીનગર: માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ…
