સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર સહિત રાજ્યમાં વકરેલા કોરોનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શ્રાવણ માસ દરમ્યાન લોકોની ભીડ મોટા પ્રમાણમાં ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડતી હોવાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓ એકત્ર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો જુના સિધ્ધનાથ મહાદેવ મંદિરે દેવાધિ દેવ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસના સોમવારે લોકો પગપાળા દર્શન માટે જાય છે અને કાવડિયાઓ પણ મોટી સંખ્યામાં તાપી મૈયાનું જળ લઇને ચાલતા જતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાના પાપે ભક્તોને સિધ્ધનાથ મહાદેવના દર્શનનો લાભ મળશે નહીં.
Related Posts
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની…
કલોલ ખાતે પત્રકાર એકતા સંગઠનના કલોલ તાલુકા તથા શહેરની કારોબારીની રચના કરવામાં આવી
પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને સંસ્થાના પ્રયોજક આદરણીય શ્રી સલીમભાઈ બાવાણી તથા સંસ્થાના તમામ હોદ્દેદારોના…
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી.
મુંબઈની કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી મુંબઈની એસ્પ્લૅનૅડ કોર્ટે આર્યન ખાન, અરબાઝ ખાન અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી…
