ભાજપે દિલ્હી હિંસાનો મામલો ભટકાવવા અને કોંગ્રેસને બીજા મામલે ઉલઝાવવા માટે એમપીમાં સરકાર પાડી દેવાનો ઘડેલો કારસો ફળ્યો નથી. એમપીમાં કમલનાથની સરકાર પડતાં પડતાં બચી ગઈ છે. દિગ્વીજયસિંહ અને જીતુ પટવારી સહિતના નેતાઓએ દોડાદોડી કરતાં આખરે સરકાર બચાવવામાં સફળતા મેળવી છે. મધ્ય પ્રદેશમાં ફરીવાર રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસની સતર્કતાના કારણે એમપીમાં કોંગ્રેસની સરકાર પરથી સંકટના વાદળ દૂર થયા છે. કોંગ્રેસના નેતા જીતુ પટવારી અને જયવર્ધન સિંહ ગુરૂગ્રામની હોટલ પહોંચી હતી. કોંગ્રેસના નેતા તરૂણ ભનોટે જણાવ્યુ હતુ કે, ભાજપે આઠ ધારાસભ્યોને હોટલમાં બંધક બનાવ્યા હતા.
Related Posts
તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦ ને સોમવારનાં રોજ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.
તમામ પ્રવાસન સ્થળોએ માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.કોવીડ -19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.રાજપીપળા,તા.19માર્ચ મહિનાથી કોરોનાં…
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો ભાવનગર તાલુકાના સરતાનપર ગામની મહિલા છેલ્લા 13 દિવસથી…
*સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી*
*સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી* પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ ચૌધરીએ…
