કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે.ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે હવે વિદેશથી આવનારા વ્યક્તિએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે.આઠમા દિવસે તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.આ ગાઈડ લાઈન આજથી લાગુ કરવામાં આવી છે.સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, કોરોનાની ગંભીર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિદેશથી આવનારાને તરત જ બહાર નિકળવાની કે આમ તેમ ફરવાની મંજૂરી નહી મળે.તેમને પહેલા હોમ ક્વોરેન્ટાઈનાં રહેવુ પડશે અને આઠ દિવસ બાદ ટેસ્ટ કરાવવો પડશે.તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાની તમામ જાણકારી આપવી પડશે અને 14 દિવસ દરમિયાન ક્યાં કયાં મુસાફરી કરી તેની જાણકારી આપવી પડશે.મુસાફરે વિદેશ યાત્રા શરુ કરતા પહેલા મહત્તમ 72 કલાકની અંદર કરેલો આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અપલોડ કરવો પડશે.તેમણે ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનુ પાલન કરવાની ખાત્રી આપવાની રહેશે.ઉપરાંત સાત દિવસના ક્વોરન્ટાઈન બાદ આઠમા દિવસે કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
Related Posts
*ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી
*ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઈ મહેતા તેમજ ઉત્તર ગુજરાત બજરંગદળ…
*પ્રાઈમ નવરાત્રી વર્ચ્ર્યુઅલ રાઈડનું પરીણામ જાહેર*
શરમ છોડીને વધુને વધુ લોકો સાયકલ ચલાવતા થાય તે આશયથીચલો ચલે પ્રકૃતિ કી ઓર દ્વારા કોરોના મહામારીમાં નવરાત્રી પર્વ પર…
વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે
*જીએનએ જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ…
