કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે.ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે હવે વિદેશથી આવનારા વ્યક્તિએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે.આઠમા દિવસે તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.આ ગાઈડ લાઈન આજથી લાગુ કરવામાં આવી છે.સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, કોરોનાની ગંભીર સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિદેશથી આવનારાને તરત જ બહાર નિકળવાની કે આમ તેમ ફરવાની મંજૂરી નહી મળે.તેમને પહેલા હોમ ક્વોરેન્ટાઈનાં રહેવુ પડશે અને આઠ દિવસ બાદ ટેસ્ટ કરાવવો પડશે.તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાની તમામ જાણકારી આપવી પડશે અને 14 દિવસ દરમિયાન ક્યાં કયાં મુસાફરી કરી તેની જાણકારી આપવી પડશે.મુસાફરે વિદેશ યાત્રા શરુ કરતા પહેલા મહત્તમ 72 કલાકની અંદર કરેલો આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ અપલોડ કરવો પડશે.તેમણે ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનુ પાલન કરવાની ખાત્રી આપવાની રહેશે.ઉપરાંત સાત દિવસના ક્વોરન્ટાઈન બાદ આઠમા દિવસે કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
Related Posts
વાંચો..યુવકની DIG સમક્ષ વિચિત્ર માંગણી: કહ્યું હું મુકેશ અંબાણીનો જમાઈ છું મને ઝેડ પલ્સ સુરક્ષા જોઈએ..
વાંચો..યુવકની DIG સમક્ષ વિચિત્ર માંગણી: કહ્યું હું મુકેશ અંબાણીનો જમાઈ છું મને ઝેડ પલ્સ સુરક્ષા જોઈએ.. વિડીયો વાયરલ થયો ‘મૈં…
*ICM બ્રેકીંગ ન્યૂઝ. અમદાવાદઃ કોરોનાના કેસ વધતાં AMCની અપીલ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ આવતીકાલથી કોરોના ટેસ્ટિંગ ડોમ…
22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે* *જીએનએ ગાંધીનગર: ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના…
