PM મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે. કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મંદિર સિંહે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવી જોઈએ.પ્રધાનમંત્રી મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક થતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનાની ગંભીર નોંધ લેતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી પંજાબના બઠિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પ્રધાનમંત્રીનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી અને લગભગ પ્રધાનમંત્રી મોદી તથા તેમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
Related Posts
રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ રાજપીપલા,તા 8 તા.૧ લી મે…
@…. દારૂબંધી બાબતે આમ આદમી પાર્ટીની બેવડી નીતિ બાબતે ફેસબુક લાઈવ….@
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દારૂની હોમ ડીલીવરી કરે છે અને એજ પાર્ટીના સુરતના કોર્પોરેટર દારૂ વેચી ગુજરાન ચલાવતી ગરીબ…
સારંગપુર દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ
દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ, 3 હજાર કિલો રંગ વપરાયો બોટાદ સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં હજારો…
