કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.
Related Posts
2022 ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ મહિલા મોર્ચા નો મહત્વ નો ફાળો હશે – ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ ડો.દીપિકા સરડવા
2022 ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ મહિલા મોર્ચા નો મહત્વ નો ફાળો હશે – ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દુઃખદ અવસાન… તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ… ભગવાન…
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ
નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા દરેક ગામોમાં નનામીની સુવિધા ફાળવવાની માંગ રાજપીપલા, તા 17 નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત…
