કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.
Related Posts
*ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા પણ ટેબલેટ ન આપ્યા*
વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી સરકારે ટેબલેટ ન આપ્યાં હોવાની વિગત સામે આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને…
ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂ.1 લાખની કિંમતના 700 મીટર કેબલની ચોરી.
ગરૂડેશ્વર તાલુકાના વાઘડીયા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂ.1 લાખની કિંમતના 700 મીટર કેબલની ચોરી. બંધ ગોડાઉન માંથી ચોર ઇસમે પીપળાના ઝાડ…
રાજસ્થાન તરફથી ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાન પોલીસે પકડી પાડ્યો*
રાજસ્થાન (રાકેશ શર્મા)* રાજસ્થાન તરફથી ગુજરાત મા લવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. રાજસ્થાન તરફથી ગુજરાત રાજ્યમાં દારૂ લઈ…
