અમદાવાદ: શહેર જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨ પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. નવા ૧૮ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ ૧૮ વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધીમાં ૯૦૦ લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મ ના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.
Related Posts
*પીએમના જન્મદિવસના ઉપક્રમે એન્જીયનીયરિંગ કોલેજના 13 વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘સ્માર્ટ સ્ટીક’ બનાવી અનોખી કમાલ કરી નાખી.*
*પીએમના જન્મદિવસના ઉપક્રમે એન્જીયનીયરિંગ કોલેજના 13 વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘સ્માર્ટ સ્ટીક’ બનાવી અનોખી કમાલ કરી નાખી.* અમદાવાદ, સંજીવ…
*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ*
*ગોવામાં આયોજિત વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ* સંજીવ રાજપૂત પણજી: ગોવાના પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી…
*📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત*
*🗯️BREAKING* *📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત* ખેડૂતોને કુલ 10 કલાક આપવામાં આવશે વીજળી કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર,ખેડા,…
